સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 18th August 2022

દ્વારકા જિલ્લામાં ચાર દિવસથી કોરોના કેસ શૂન્‍ય

ખંભાળીયા તા. ૧૮ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોઝિટિવની ચોથી લહેરમાં ચારસો ઉપરાંત નવા કેસો નોંધાયા હતા. જેમાં દ્વારકા કે જ્‍યાં બહારગામથી રોજ હજારો યાત્રાળુઓ આવતા હોય ત્‍યાં આ રોગ વ્‍યાપક થયો હતો. તેમાં હમણા છેલ્લા ચાર દિવસથી એકપણ નવો કેસ ના નોંધાતા તથા રોગમાં સારવાર લઇ રહેલા પોઝીટીવ દર્દીઓ પૈકી પણ મોટાભાગના પોઝીટીવમાંથી નેગેટીવ થઇ ગયા છે. જોકે આમ છતાં એકેડેમીક ઓફિસર એમ.ડી.જેઠવા તથા તેમની ટીમ દ્વારા કોરોનાના ટેસ્‍ટીંગ ચારેય તાલુકાઓમાં ચાલુ જ રાખવામાં આવ્‍યા છે.

 

 

(1:44 pm IST)