સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 18th August 2019

માળિયા અને હળવદમાંથી સગીરાઓના અપહરણ :મોરબીની પરણીતાએ ફિનાઈલ પીધું :યુવાને જંતુનાશક સ્પ્રે મોંમા છાંટ્યો

બાઈક પરથી પડી જતા વૃધ્ધા ઘાયલ :બાઈક સ્લીપ થતા આધેડને ઇજા

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ જુના દેવડીયા ગામેથી સગીરાનું અપહરણ થઈ જતા ભોગ બનનારના પિતાએ હળવદ પોલીસમાં રૂકશાનાબેન મોવર તેમજ વિકાસ ઉર્ફે વિકી અશોક સુર્યવંસી રહે. સાપર(વેરાવળ)જી.રાજકોટ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હોય પીએસઆઇ જે.બી.ધનેશાએ તપાસ હાથ ધરી છે.જ્યારે માળીયા મિંયાણા તાલુકાના જુના સુલતાનપુર ગામેથી પણ એક સગીરાનું અપહરણ તથા ભોગ બનનારના ભાઇએ માળીયા પોલીસમાં ધર્મેશ લાભુ સનુરા રહે.સુલતાનપુર વિરુદ્ધ ગુનો નોંધાવતા બનાવની નોંધ કરીને સીપીઆઇ આર.કે.ઝાલાએ આગળની તપાસ શરૂ કરી છે.

મોરબીના સામાકાંઠે આવેલ ઉમાટાઉનશીપ ખાતે રહેતી તૃષ્ણાબેન ભાવિકભાઈ રામજીભાઈ કુંડારીયા નામની ૨૭ વર્ષની પટેલ પરિણીતાએ તેના ઘેર અગમ્ય કારણોસર ફિનાઈલ પી લેતાં તેણીને અત્રેની મંગલમ હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવી હતી તેનો લગ્નગાળો સાડા ચાર વર્ષનો છે અને સંતાનમાં દીકરો-દીકરી હોવાનું પોલીસે જણાવ્યું છે.જ્યારે મોરબીના શનાળા ગામે રહેતા સંજયગીરી નિલેશગીરી ગોસાઈ નામના ૨૧ વર્ષના યુવાને ઝેરી જંતુનાશક સ્પ્રે મોંમાં છાંટી લેતાં તેને ઝેરી અસર થતાં સંજયગીરીને પણ મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

મોરબી પારેખ શેરીમાં રહેતા ઇલાબેન યશવંતભાઈ મહેતા ઉમર વર્ષે ૭૭ નામના વૃદ્ધા ઘર નજીકથી બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે ઘર પાસે જ બાઈક ઉપરથી પડી જતા ઇલાબેનને ઇજાઓ થવાથી તેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં લવાયા હતા

 મોરબી મકરાણીવાસમાં રહેતો હાજીશા અલ્લારખ્ખા શાહમદાર (ઉમર ૪૪) નામનો વ્યક્તિ બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે જેલ રોડ પોલીસ પરેડ ગ્રાઉન્ડ નજીક ગઈકાલે ઓચીંતી ગાય આડી ઉતરતા બાઈક સ્લીપ થઈ જવાથી તેને દવાખાને સારવારમાં લઈ જવાયો હતો.જ્યારે મોરબીના શનાળા ગામે રહેતા જયપાલસિંહ જટુભા જાડેજા (ઉમર ૧૮) નામનો યુવાન બાઇક લઇને જઇ રહ્યો હતો ત્યારે શનાળા મેલડી માતાના મંદિર પાસે બાઇક સ્લીપ થઇ જતા જયપાલસિંહને ઇજાઓ થતાં તેને ક્રિષ્ના હોસ્પિટલ ખસેડાયો છે.

 જ્યારે મોરબી કબીર ટેકરીમાં રહેતા અર્જુનકુમાર ભારતી(ઉમર ૨૧) નામના યુવાનને ચોટીલા હાઇવે ઉપર અકસ્માતે ઇજાઓ થતા તેને મોરબી આયુષ હોસ્પિટલે સારવારમાં લવાયો હતો.

(9:33 pm IST)