કુંકાવાવમાં ધર્મસ્થાનો અને શાળાઓમાં ગુરૂપુર્ણિમાની ઉજવણી
કુંકાવાવ તા.૧૮ : ધર્મસ્થાન તેમજ સ્કુલોમાં પણ ગુરુપુર્ણીમાં ગુરૂ શિષ્યના અનાન્ય ભાવો જોવા મળેલ એન.એમ.શેઠકુમાર વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાના ગુરૂજનોના આશિષ મેળવ્યા હતા તો સુર્યમુખી હનુમાનજી, ટીંબો (મેઘપર) સ્વામીનારાયણ મંદિર, હવેલીમાં પણ લોકોએ પોતાના ગુરૂદ્વારામાં આ પાવન પ્રસંગની ઉજવણી કરી હતી.
સાકરીયા હનુમાનજી મંદિરના મહંત વામનદાસબાપુ ગોંડલીયાના નિવાસ સ્થાને પણ ગુરૂપુર્ણીમાંનો પાવન ભવ્ય અવસર ઉજવાયો ભાજન-ભોજન-ભકિતનો ત્રીવેણી સંગમનો પ્રવાહ વહેલ હતો બપોર તેમજ સાંજના મહાપ્રસાદનુ પણ અનેરૂ આયોજન કરેલ તો રાત્રીના સંતવાણીનો લાભ લીધો હતો.
સંતવાણી આરાધક પરશુબાપુ ગોંડલીયા, કનુબાપુ ગોંડલીયા, મયુરભાઇ, બળદેવભાઇ, મુનાબાપુ વગેરે કલાકારોએ રઘુવીર સાઉન્ડ બાડપરના સથવારે ઉસ્તાદ જયદેવભાઇ ગોંડલીયા તેમજ પ્રવિણભાઇ નિમાવતે રંગત જમાવી હતી આ અવસર સાથે ગૌરીવ્રત કરતી કુમારીકાઓને પણ ફરાળ, ભોજન કરાવેલ હતું.