સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th July 2018

ભારે પવન - વરસાદના કારણે દ્વારકાધીશ મંદિરની ધ્વજા અડધી કાઠીએ

દ્વારકા તા. ૧૮ : યાત્રાધામ દ્વારકા માં દ્વારકાધીશ જગતમંદિર ના શિખર ઉપર વરસાદ અને ભારે પવનને કારણે ધ્વજાજી અડધી કાઠીએ ચડાવામાં આવી હતી. દરરોજ ની પાંચ ધ્વજાજી ચડાવાય છે.તેમા સવારે ત્રણ તેમજ સાંજે બે ધ્વજાજી શિખર ઉપર ચડાવાય છે. વરસાદ અને ભારે પવન ના કારણે દ્વારકાધિશ જગતમંદિર ના શિખર ઉપર સાંજ ની બે ધ્વજાજીઙ્ગ ૫/૩૦ વાગ્યા ની તેમજ ૬/૩૦ વાગ્યાની ધ્વજાજી અબોટી બ્રામણ દ્વારા અડધી કાઠીએ ચડાવામાં આવી હતી.(૨૧.૧૭)

(3:45 pm IST)