સોમનાથ બ્રહ્મસમાજનાં અગ્રણી મીલનભાઇ જોષીની સંયુકત ભારતીય ધર્મ સંસદનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નીમણૂંક
(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસપાટણ, તા.૧૮: ગીર-સોમનાથ જીલ્લા બ્રહ્મસમાજનાં પૂર્વ પ્રમુખ અને સોમનાથ કેટરીંગ એસોસીએશનનાં પ્રમુખ મીલનભાઇ જોષીની સંયુકત ભારતીય ધર્મ સંસદનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવેલ છે.
સંયુકત ભારતીય ધર્મ સંસદની કેન્દ્રની કાર્યસમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ આચાર્ય રાજેશ્વર જી જયપુરથી સોમનાથના મીલનભાઇ જોષીની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે સર્વ સંમતિથી નિમણૂંક કરવામાં આવેલ છે. અને સમગ્ર ગુજરાતની ભારતીય ધર્મ સંસદની જવાબદારી સોંપવામાં આવેલ છે.
મીલનભાઇ જોષીએ ગીર-સોમનાથ જીલ્લામાં બ્રહમસમાજનાં પ્રમુખ પદે ખૂબ જ સફળ જવાબદારી નિભાવેલ છે તેમજ બ્રહ્મસમાજ અને અન્ય સમાજમાં તેમની સેવાકીય પ્રવૃતિઓ બિરદાવવાલાયક છે. તેમજ તેમની ધર્મપ્રત્યેની આસ્થા અને ધર્મના કામ માટે સદા અગ્રેસર રહેવાની ભાવનાને કારણે ભારતીય ધર્મ સંસદનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે. તેમની આ નિમણૂંકને પ્રભાસપાટણ સોમનાથ સહિત સમગ્ર ગીર સોમનાથ જીલ્લામાંથી અભિનંદનની વર્ષા થઇ રહેલ છે.