સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 18th June 2021

સુરેન્દ્રનગરમાં ડોકટર ઓફ ફામર્સીના છાત્રો માટે સફળ રજૂઆત

વઢવાણઃ એનએસયુઆઈના વિદ્યાર્થી નેતા મેહુલભાઈ પંચાલને ડોકટર ઓફ ફાર્મસીના વિદ્યાર્થીઓની પરીક્ષા થશે કે નહિ ? અને નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત અંગેની તકલીફો જાણમા આવતા જીટીયુના રજીસ્ટ્રાર ડો. કે.એન. ખેર સાથે રજૂઆત કરતા તા. ૯ જૂને જીટીયુ તરફથી આ વિદ્યાર્થીઓની પરીક્ષાના ફોર્મ ભરવા અંગેનો પરિપત્ર જાહેર કર્યો હતો, ત્યારે મેહુલભાઈ પંચાલએ આ વિદ્યાર્થીઓ માટે જીટીયુ સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી અને ડોકટર ઓફ ફાર્મસીની તમામ કોલેજના વિદ્યાર્થીઓને એક કરી આંદોલન કર્યુ હતું તેથી મેહુલભાઈની સૂચનાથી આ આંદોલનની એસએનએલ કોલેજના વિશાલ પટેલને જવાબદારી સોંપી જીટીયુના રજીસ્ટ્રાર સાથે રૂબરૂ રજૂઆત કરી હતી. જેમા સરકારની સૂચનાથી આ પરીક્ષામાં મેરીટ બેઝ પ્રોગ્રેસન મળી શકતુ હોવાથી આ પરીક્ષાના સમય અને માધ્યમને લઈને ચર્ચા કરી હતી(તસ્વીર-અહેવાલઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

(10:06 am IST)