સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th June 2019

ખંભાળીયાના ધરમપુરમાં દિવાલ ધરાશાયી : દંપતિને ઇજા : કાટમાળમાં દટાયેલ બાળકોનો બચાવ

ખંભાળીયા તા ૧૮  :  ગઇકાલે સાંજે ભારે પવન સાથે વરસાદનું આગમન થતાં ખંભાળિયા પાસેના ધોરીવાવ વાડી વિસ્તારમાં રહેતા એક સતવારા પરિવાર જેંતી લાલજી નકુમના મકાનની એક દિવાલ તુટી પડી હતી.

દીવાલ તુટી પડતા ત્યાંજ રમતા પ્રિન્સ  અશ્વિનભાઇ નકુમ,ઉ.વ.૭ નો બાળકનો દીવાલમાં દબાઇ ગયો હતો, જેને તુરતજ કાઢવામાં આવતા તે બચી ગયો હતો, પછી તેને માથામાં ઇજા સાથે ખંભાળીયા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ તથા નાથા રામા નકુમના પત્ની ઝીલીબેન નાથા નકુમ ઉ.૭૩ વાળાને બે ફ્રેકચર થયા હતા.

દીવાલ ધડાકા સાથે પડતા મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા, બનાવની જાણ થતાં ખંભાળીયાના સતવારાા અગ્રણી તથા પૂર્વ જી.પ. ઉપપ્રમુખ હરીભાઇ વાલજી નકુમ, મનસુખભાઇ ભટારાવાળા, હર્ષદપુરના પુર્વ સરપંચ સંજયભાઇ નકુમ વિ. એ ઘાયલોને સરકારી હોસ્પીટલમાં  પછી ત્યાં ઓર્થો. સર્જનની સેવા ના હોય ત્યાથી ડો. અમીત નકુમને ત્યાં લઇને સારવાર કરી હતી.

(1:10 pm IST)