માળીયા મિયાણા પાસે અકસ્માતમાં ઘવાયેલા મોટા દહીસરાના દશરથસિંહ જાડેજાનું મોત
મોરબી નજીક કારખાનામાં અકસ્માતે મજુર છોટુ કુશવાહાનું મોત
મોરબી તા ૧૮ : માળીયા (મીયાણા)તાલુકાના મોટા દહીસરા ગામે છોટા હાથીના ચાલકે બાઇક ચાલકને હડફેટે લેતા ચાલક ગરાસીયા યુવાનનું મોત નિપજયું હતુ, જયારે પાછળ બેઠેલ યુવાનને ઇજાઓ થતા સારવારમાં ખસેડાયો છે.
જાણવા મળતી વિગત મુજબ મોટાદહીસરા ગામે રહેતા ફરીયાદી સુખદેવસિંહ ઓઘુભા જાડેજાનો પુત્ર દશરથસિંહ ગત તા.૧૬ના પોતાનું બાઇક નં. જીજે-૩૬-૯૨૬૫ લઇ મોટા દહીસરા-પીપળાીયા ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહયો હતો ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતા છોટાહાથી નં. જીજે-૩ એએકસ-૧૮૪૪ નાચાલકે સામેથી તેના બાઇક સાથે છોટાહાથી અથડાવી અકસ્માત સજર્યો હતો,જેમાં બાઇક ચાલક દશરથસિંહ નામના યુવાનને ગંભીર ઇજાઓ થતા તેનું મોત નિપજયું હતું. જયારે બાઇક પાછળ બેઠેલા સાહેદને ઇજાઓ થતાં તેને સારવારમાં ખસેડાયો હતો.
બીજા બનાવમાં મોરબીના લખધીરપુર રોડ પરઆવેલ 'એસા મિનરલ' નામના કારખાનામાં કામ કરતો મજુર છોટુ કાશીરામ કુશવાહ (ઉ.વ. ૨૪) ગઇકાલે કારખાનામા કામ કરી રહયો હતો ત્યારે કન્વેનર બેલ્ટમાં આવી જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર મળે તે પહેલાંજ તેનું મોત નિપજયું હતું.