સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th June 2019

ભાવનગરની સર.ટી.હોસ્પીટલના રેસીડેન્ટ ડોકટરોએ સુત્રોચ્ચાર કર્યા

પશ્ચિમ બંગાળમાં ડોકટરો પર હુમલાની ઘટનાનો વિરોધ :ડોક્ટરોના રક્ષણ માટે નક્કર પગલાંની માંગ

 

ભાવનગરની સર.ટી.હોસ્પીટલના રેસીડેન્ટ ડોકટરોએ સુત્રોચ્ચાર કરી પશ્ચિમ બંગાળમાં ડોકટરો પર હુમલાની ઘટનાને વખોડી કાઢી હતી. પશ્ચિમ બંગાળમાં ડોકટરો પર થયેલા હુમલાની ઘટનાના વિરોધમાં દેશભરનાં ડોકટરો હડતાલમાં જોડાતાં આરોગ્ય સેવા ખોરવાઇ ગઇ હતી. ભાવનગરની સર.ટી.હોસ્પીટલ ખાતે પણ રેસીડેન્ટ ડોકટરોએ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેશભરમાં ડોકટરો પર હુમલાની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા ડોકટરોના રક્ષણ માટે નક્કર પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

(1:08 am IST)