સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 18th May 2022

ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા અમરેલીની શુભેચ્‍છા મુલાકાતેઃ કોંગ્રેસ અગ્રણીઓ સાથે કરી મહત્‍વની ચર્ચા

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૮: અમરેલી ખાતે પધારેલા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જિલ્લા કોગ્રેસના અગ્રણીઓ સાથે મહત્‍વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી.

અમરેલી જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓની સાથે થયેલ શુભેચ્‍છા મુલાકાતમાં સુખરામ રાઠવા એ જણાવેલ હતું કે વર્તમાન ભાજપ સરકારની નીતિ-રિતીથી આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. અને દિન પ્રતિદિન મોંઘવારી વધી રહી છે અને મોંઘવારીની વિરોધમાં લોકોના હિતાર્થ  જોરદાર વિરોધ કરી શાસકોની નીંદ ઉડાડવા આહવાન કરવામાં આવેલ હતુ.

આ શુભેચ્‍છા મુલાકાતમાં પૂર્વ ધારાસભ્‍ય અને  અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ  પ્રમુખ ઠાકરશીભાઈ મેતલીયા  કે કે વાળા, નારણભાઈ મકવાણા, નરેશ અધ્‍યારૂ વિગેરે જિલ્લા કોંગ્રેસના અગ્રણી હાજર રહ્યા હતા.

(1:26 pm IST)