News of Wednesday, 18th May 2022
ઘઉંની અટવાયેલી ૫૦૦૦ જેટલી ટ્રકોના ડ્રાઇવરોને કંડલા પોર્ટ અને અન્ય સંસ્થાઓ દ્વારા ભોજન, પાણીનું વિતરણ
(વિનોદ ગાલા દ્વારા)ભુજતા.૧૮
ઘઉં ની નિકાસબંધી બાદ કંડલા માં ૧૫ દિવસથી અટવાયેલી ૫૦૦૦ જેટલી ટ્રકોના ડ્રાઇવરોની મદદે કંડલા પોર્ટ અને અન્ય સંસ્થાઓ આવી છે. કંડલા પોર્ટના જનસંપર્ક અધિકારી ઓમ પ્રકાશ દાદલાણીના જણાવ્યા પ્રમાણે ચેરમેન એસ.કે. મેહતાની દોરવણી હેઠળ પોર્ટ તેમ જ અન્ય સંસ્થાઓની મદદથી ભોજન, પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરાઇ છે.
(10:08 am IST)