જામનગર-જીલ્લામાં કોરોના કેસ ઘટયા
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૮: જામનગર જિલ્લામાં સ્વસ્થ થનાર કોરોનાના દર્દીઓની સંખ્યામાં સોમવારે પણ વધારો જોવા મળ્યો છે. ગઈકાલે જિલ્લામાં કુલ ૪૫૨ દર્દી સ્વસ્થ થયા અને જામનગર જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા ઘટીને ૨૮૩ નોંધાઇ છે. સતત દિવસેને દિવસે નવા પોઝિટિવ કેસ દ્યટતા જામનગર જિલ્લાના લોકોને રાહતનો અનુભવ થઈ રહ્યો છે. જો કે તેની સામે જિલ્લામાં ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. જામનગર શહેર- જિલ્લામાં સોમવારે ૨૪ કલાકમાં પોઝિટિવ કેસ નો આંકડોᅠ ૩૦૦ ની અંદર જ જોવા મળ્યો હતો. સોમવારે જામનગર શહેરમાં ૧૯૨ અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૯૧ મળી જિલ્લા નો કુલ આંકડો ૨૮૩ જાહેર થયો છે. જયારે જામનગર શહેરમાં ૩૨૮ᅠ દર્દીઓ અને જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ૧૨૪ દર્દીઓ સ્વસ્થ થયાં છે. કાલે જામનગર જિલ્લામાં કોરોનાથી કુલ ૫ મોત થયાનું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જામનગર શહેરમાં ૩ મોત અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૨ મોતની સતાવાર જાહેરાત કરવામાં આવી છે.