પોરબંદર શેલ્ટર હાઉસની મુલાકાતે જયેશભાઇ રાદડિયા
પોરબંદર જિલ્લામાં ગઇકાલે સંભવિત વાવાઝોડાની આગોતરી તૈયારીના ભાગરૂપે તેમજ થયેલી સ્થળાંતરની કામગીરી સંદર્ભે અન્ન અને પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાએ સ્થળાંતરિત કરાયેલા લોકોના આશ્રય સ્થાન શેલ્ટર હાઉસની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ એમ. ડી. સાયન્સ કોલેજના શેલ્ટર હાઉસ તેમજ ખારવાવાડમાં આવેલા શેલ્ટર હાઉસની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ સ્થળાંતરિત કરવામાં આવી રહેલા પરિવારોના બાળકો સાથે પણ સંવાદ કરી તેમને મળી રહેલી સુવિધાની જાણકારી મેળવી હતી. મંત્રીશ્રી ચોપાટી તેમજ પોર્ટ ખાતે દરીયાકાંઠાનું પણ નીરીક્ષણ કર્યુ હતું. આ મુલાકાત વેળાએ રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા સાંસદ, રમેશભાઇ ધડુક તેમજ ધારાસભ્ય બાબુભાઇ બોખરીયા, જિલ્લા કલેકટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી. કે. અડવાણી, જિલ્લા પોલીસ વડા રવી મોહન સૈની, તેમજ અગ્રણી કિરીટભાઇ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. શેલ્ટર હાઉસની મુલાકાતે કેબીનેટ મંત્રી આવ્યા તે તસ્વીર.