સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 18th May 2021

ગીર -સોમનાથ ખાતે ભુપેન્‍દ્રસિંહ ચુડાસામાએ માહિતી મેળવી

 પ્રભાસ પાટણ : રાજયના દરીયા કિનારાના વિસ્‍તારોમાં તોકતે વાવાઝોડા સંકટ સામે સજ્જ બનવા તેમજ વહીવટી તંત્ર સાથે સંકલન તેમજ બચાવ કામગીરીને સુદ્રઢ બનાવવાᅠ શિક્ષણ મંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા ગીર-સોમનાથ ખાતે કેમ્‍પ કરી જિલ્લાનાં વિવિધ વિસ્‍તારોની મુલકાત લીધી હતી. મંત્રીએ જિલ્લાના જાલેશ્વર બંદર અને ભીડીયા બંદર ખાતે મુલાકાત લઇ ત્‍યા વસતા રહીશોની સ્‍થળાંતરની સમીક્ષા કરી હતી. તેમજ સ્‍થળાંતર થયેલ રહીશોની રહેવાની તેમજ ભોજન-પાણીની વ્‍યવસ્‍થાની પણ જાણકારી મેળવી હતી. આજોઠા કોવીડ કેર સેન્‍ટરની તેમજ વેરાવળ ખાતે કોવીડ હોસ્‍પિટલની પણ મુલાકાત લીધી હતી. જેમાં સિવિલ સર્જન જીજ્ઞેશ પરમાર પાસેથી ઓક્‍સીજન, બેડ તેમજ તાકીદની સારવાર અંગેની વ્‍યવસ્‍થાની પણ જાણકારી મેળવી હતી. સાંસદ રાજેશભાઇ ચુડાસમા, મામલતદાર ચાંડેગરા સહિત અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:21 am IST)