કુતિયાણા એસબીઆઇ બેન્કમાં ખેડૂતો હેરાન થતાં કોંગ્રેસના આગેવાનો દોડી ગયા
ઉપલેટા,તા.૧૮: કુતિયાણા એસબીઆઈમાં ખેડૂતો પોતાના કામે આવ્યા ત્યારે ખૂબ જ લાંબી લાઈનો હોય કામગીરી થતી ન હોય મોટા પ્રમાણમાં ફરિયાદો ઉઠતા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નાથાભાઈ વડોદરાના ધ્યાને આવતા તેઓ તાત્કાલિક દોડી ગયા હતા. આ અંગે માહિતી આપતાં તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે કુતિયાણા વિસ્તાર ની SBI BANK મા ખેડૂતો નવા જૂના કર્જ ની કામગીરી માટે આવ્યા હોય ખૂબ જ લાંબી લાઈન થઈ ગઈ હતી. આ હેરાનગતિની જાણ પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા તથા ભનુભાઈ ઓડેદરા કરવામાં આવી હતી . આવી ફરિયાદો મળતા નાથાભાઈ ઓડેદરા, વિશાલભાઈ બારાઇ, ભાનુભાઇ ઓડેદરા દ્વારા તાત્કાલિક કુતિયાણાઙ્ગ દોડી જઈ SBI BANK ના મેનેજરની મુલાકાત લઈ ખેડૂતો ને પરેશાનીના થાય અને આસાનીથી તેઓ ના કાર્ય પૂર્ણ થાય એ માટે રજૂઆત કરી હતી . આ માટે બેંકના મેનેજરએ હવેથી ૪ કાઉન્ટર દ્વારા કામગીરી કરવામાં આવશે અને ખેડૂતો ના કામ ને આસાન કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.