સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 18th May 2019

જામનગરમાં ૧૨ કૂતરાઓને ઝેરી પદાર્થ ખવડાવી મોતને ઘાટ ઉતારનારને ઝડપી લેવા માંગણી

જામનગર, તા. ૧૮ :. કેતન સોસાયટી વિસ્તારમાં તા. ૧૩-૫-૨૦૧૯ના રોજ ૧૨ જેટલા કૂતરાઓને ઝેરી પદાર્થ ખવડાવીને મોતને ઘાટ ઉતારવાની ઘટના અત્યંત દુઃખદ અને આઘાતજનક છે. જેનાથી જીવદયાપ્રેમીઓમાં તીવ્ર આક્રોશ સાથે ગમગીનીની લાગણી ફેલાય છે.

દરેક પશુ પ્રત્યે દયાભાવ રાખવાનો તેનું રક્ષણ કરવાનો અને પશુઓને પણ પોતાનું જીવન જીવવાનો અધિકાર ભારતના બંધારણે આર્ટીકલ-૨૧થી આપેલો છે.

આ ગુન્હાહીત કૃત્યનો ભોગ બનનાર પોસ્ટમોર્ટમ કરાવી જવાબદાર લોકો સામે આઈ.પી.સી.ની સેકશન ૪૨૯ તથા ધી પ્રિવેન્શન ઓફ ફૂઅલ્ટી ટૂ એનીમલ એકટ મુજબ કાર્યવાહી કરી આ ઘાતકી કૃત્ય કરનારને સત્વરે પકડી પાડી ફરીને આવી ઘટનાના ઘટે તે રીતે કડક કાર્યવાહી થવી જોઈએ તેમ વિજય ઝવેરીએ જણાવ્યુ છે.

(1:24 pm IST)