સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 18th May 2019

ભાવનગર-અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ :રાજુલા પંથકમાં કરા પડ્યા :ભારે પવન ફુંકાતા છાપરા ઉડ્યા

રાજકોટ ;આજે બપોર બાદ ભાવનગર અને મારેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ જોવાયો હતો  બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

  ભાવનગરમાં વાદળ છાયા વચ્ચે વરસાદી ઝાપટાં પડ્યા હતા. જેથી શહેરના રસ્તાઓ ભીંજાયા હતા. અને ચોમાસું જેવો માહોલ સર્જાયો હતો. છુટાછવાયા વરસાદથી ખેડૂતોમાં આનંદ ફેલાયો હતો.


અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. માંડરડી, આગરિયા, વાવેરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. માંડરડી ગામે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવનના કારણે છાપરા ઉડ્યા હોવાના સમાચાર મળી રહ્યાછે

(8:48 pm IST)