ધ્રાંગધ્રામાં 'લૂ' લાગતા ૮ વર્ષની બાળાનું મોત
ધાર્મી કૃણાલભાઇ શેઠના મોતથી અરેરાટી : મહત્તમ તાપમાન ઉંચકાતા આકરો તાપ
વઢવાણ, તા. ૧૮ : સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ૮ વર્ષની બાળાનું 'લૂ' લાગવાથી મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.
પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારના ધ્રાંગધ્રા રહેતા બાળા ધાર્મી કૃણાલભાઇ શેઠ ઉ.વ. ૮ વાળી બાળાને એકાએક તડકામાં લૂ લાગવાની ઘટના બનવા પામેલ છે. જયારે આ ધાર્મી કૃણાલભાઇ શેઠને સારવાર માટે દવાખાને લઇ જવાયા બાદ બાળા બેભાન અવસ્થામાં મોતને ભેટેલ છે. ત્યારે ધ્રાંગધ્રા હાહાકાર મચી ગયો છે.
સુરેન્દ્રનગર જીલ્લામાં આજે ગરમીથી જયારે હાહાકાર સર્જાયો છે. જિલ્લાભરમાં તાપમાનનો પારો ઉચકાયો છે.
ધ્રાંગધ્રામાં બાળાના મોતથી ભારે સન્નાટો છવાયો છે. પરિવારના સભ્યો પણ શોકના માહોલમાં ગરકાવ થઇ ગયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ હિટવેવ જાહેર થયો છે. છેલ્લા પાંચ-પાંચ દિવસથી ગરમી અને એન્ટ્રી વધતા જતા ગરમીના પારાના કારણે ઝાલાવાડના લોકો મુઝવણમાં મૂકાય છે.