જસદણ માર્કેટયાર્ડના પ્રતિનિધિઓ દ્વારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત રૂ.પાંચ લાખનો ચેક અર્પણ
આટકોટ તા.૧૮: રાજયભરમાં ભાજપ સરકાર દ્વારા ચાલતું સુજલામ સુફલામ યોજનાની તળાવો ચેકડેમો ઊંડા ઉતારવાની કામગીરી જસદણ તાલુકાના ગામોમાં ચાલી રહી છે
આ કામગીરીની યોજનાને વેગ આપવા માટે જસદણ તાલુકા માર્કેટયાર્ડના પ્રમુખ અરવિંદભાઇ તાગડિયા ભગુભાઇ બસિયા પ્રવીણભાઇ છાયાણી બળુભાઇ સેક્રેટરી દ્વારા આજરોજ જીલ્લા વહીવટી તંત્રને પ્રાંત અધિકારી શ્રી ચૌધરી તેમજ જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઇ રામાણીના હસ્તે રૂ પાંચ લાખ નો ચેક અર્પણ કરી આપીને આ કામગીરી યોજનાને સફળ કરવા યોગદાન આપેલ હતું.
હાલ આ સુજલામ સુફલામ યોજના દ્વારા જસદણ તાલુકામાં ચેકડેમો ઊંડા ઉતારવાની કામગીરીને વેગ મળ્યો છે તેમજ જબ્બર પ્રતિસાદ મળેલ છે.
આ સુજલામ સુફલામ યોજનાથી તળાવો ઊંડા કરવાથી પાણીનો ભરાવો વધારે થઇ શકે છે જેથી કુવા બોર દારમાં સારા પાણી રહી શકે છે તેમજ તળ ઊંચા આવી શકે છે.
ત્યારે આ યોજનાથી ખેતી કરતા ખેડૂતોને સારો ફાયદો થઇ શકે છે ખેડુતોની આ યોજનામાં જસદણ માર્કેટ યાર્ડે યોગદાન કરતા ખેડુતો લોકોમાં ખુશીની લાગણી છવાઇ ગઇ છે.