News of Friday, 18th May 2018
માળીયા હાટીના નદી કાંઠા પાસેથી મૃતદેહ મળ્યોઃ હત્યા કે આપઘાત?
માળીયા હાટીના તા. ૧૮ :.. નદીના કાંઠા પાસે જસાપરા વિસ્તારમાંથી કોઇ અજાણ્યો વ્યકિતનો મૃતદેહ મળેલ છે.
રીક્ષા ચાલક કીશોરભાઇ મુળુભાઇ એ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે જઇને અજાણ્યા ઇસમનો લાશનો કબજો મેળવી સરકારી દવાખાને લઇ ગયેલ છે.
ડો. જે. પી. સમતાએ મૃતદેહને પી. એમ. માટે જામનગર મોકલાયેલ છે. બે-ત્રણ દિવસ પહેલાની આ લાશ હોવાનું જણાવેલ છે.
આ લાશ કોની છે ? મર્ડર છે કે આપઘાત તે રીપોર્ટ આવે પછી જ ખબર પડશે.
(11:41 am IST)