ગોંડલના ઘોઘાવદર ચોકમાં દલિત યુવક મહેન્દ્રભાઇ પારઘીનો આપઘાત
ગોંડલ તા. ૧૮ : શહેરના ભગવત પરામાં રહેતા અને એસટીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા દલિત યુવાન મહેન્દ્રભાઈ કલાભાઈ પારઘી ઉ.વ. ૪૫ એ કોઈ અગમ્ય કારણોસર શહેરના ઘોઘાવદર ચોકમાં આવેલ બાવાજી સમાજની મઢી પાસે ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજયું હતું.
દલિત યુવાન મહેન્દ્રભાઈ ત્રણ ભાઈઓના પરિવારમાં નાના હતા અને બોટાદ ખાતે એસ.ટી.ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા તેઓને સંતાનમાં પાંચ વર્ષની એક દીકરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું ઘટના અંગેની તપાસ સીટી પોલીસના જમાદાર ડી એન રાઠોડે હાથ ધરી છે.
રામોદમાં યુવકે દવા પીધી
ઝેરી દવા પીવા નો બીજો બનાવ નાના માંડવા રોડ પર બનવા પામ્યો હતો જેમાં કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામ હરેશભાઈ લાલજીભાઈ બાબરીયા ઉમર વર્ષ ૨૫ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે ગોંડલની શ્રીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજતાં સીટી પોલીસના જમાદાર આર.ડી.ઝાલા વધુ તપાસ હાથ ધરી છે.