News of Monday, 18th March 2019
લખતર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ રાણાનું અકસ્માતમાં મોત થતાં અરેરાટી
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૮ :.. વિરમગામથી સાણંદ હાઇવે પર ર કાર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં લખતર તાલુકા ભાજપના પ્રમુખ અજીતસિંહ રાણાનું મોત થયું છે. જયારે અન્ય પ લોકો પણ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
અકસ્માત એટલો ભયાનક હતો કે, બંને કારના આગળના ભાગના ભુક્કા બોલાઇ ગયા હતાં. અકસ્માતના પગલે હોસ્પિટલ તેમજ ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતાં. આ ઘટનાની જાણ થતા પોલીસ કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
(3:35 pm IST)