સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 18th January 2021

કેશોદની વણપરીયા સ્‍કૂલના ૧૧ છાત્રોને એક સાથે કોરોના

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા. ૧૮ :. જૂનાગઢ જીલ્લાના કેશોદની વણપરીયા સ્‍કૂલના ૧૧ છાત્રોને એક સાથે કોરોના થતા ચિંતા પ્રસરી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ કેશોદમાં આવેલી કે એ વણપરીયા વિનય મંદિરના ધો. ૧૦ થી ૧ર ના વિદ્યાર્થીઓના આજે કોરોના  ટેસ્‍ટ કરાવવામાં આવ્‍યા હતા. જેમાં એક સાથે ૧૧ વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝીટીવ આવતા કવોરન્‍ટાઇન અને સારવારની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

(3:24 pm IST)