પોરબંદરના ખાપટમાં અઠવાડિયા પહેલા ગુમ યુવાનની લાશ મળીઃ હત્યા કે અકસ્માતે મોત?
(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૮: તાલુકાના ખાપટમાં અઠવાડીયા પહેલા ગુમ થયેલ વિક્રમ બાબુભાઇ વાઘેલા નામના યુવાનની લાશ ટુકડા માયાણી પાસે કોસ્ટલ કેનાલમાંથી મળી આવતા ચકચાર જાગી છે. મરનાર યુવાનનું અકસ્માતે પડી જવાથી મોત કે આત્મહત્યા કે હત્યા અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
ખાપટના વિક્રમ બાબુભાઇ વાઘેલા અઠવાડીયા પહેલા ગુમ થઇ જતાં પરીવારજનોએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ કરી હતી અને પોલીસે તપાસ કરતા કયાંય મળી આવેલ નહીં દરમિયાન ટુકડા માયાણી પાસે કોસ્ટલ કેનાલમાં વિક્રમ બાબુભાઇ વાઘેલાની લાશ પડી હોવાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગયેલ અને લાશને પી.એમ.મ ાટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલે મોકલી આપી છે.
મરનાર યુવાનના મૃત્યુ અંગે શંકા થઇ રહી છે મરનાર યુવાને આત્મહત્યા કરી છે કે અકસ્માતે પડી જવાથી મોત કે તેની હત્યા થઇ છે? તે બાબતે તપાસ શરૂ થઇ છે. મરનાર યુવાનની લાશના પોસ્ટ મોર્ટમ બાદ સાચું કારણ બહાર આવી શકશે.