પંચ અગ્નિ અખાડાના વરિષ્ઠ સંત પૂ. લાલ બાબા બ્રહ્મલીન
જુનાગઢ : પંચ અગ્નિ અખાડાના વરિષ્ઠ સંત અને રાજ રાજેશ્વર હનુમાન મંદિરના મહંત પૂ. લાલ બાબા ૧પ ના વહેલી સવારે બ્રહ્મલીન થયેલ છે.
તેઓની નાની ઉમરમાં જ સન્યાસી બનેલા તેમજ પ૦ થી વધારે વર્ષ સુધી પંચ અગ્નિ અખાડા ઉજજૈનની વ્યવસ્થ સંભાળી હતી, તેમના ઉજજૈન ઉપરાંત પાલખેડા, તેદુખેડા, સિગાવદા તથા સદાવલ તેમણે આશ્રમ સ્થાયી સમાજ સેવાની સુવાસ સમગ્ર મધ્ય પ્રદેશમાં ફેલાવી હતી લાલ બાબાના અવસાનથી પંચ અગ્નિ અખાડાને ન પુરી શકાય તેવી ખોટ પડી છે એમ પંચ અગ્નિ અખાડાના સભાપતિ શ્રી મુકતાનંદ બાપુએ જણવેલ છે.
અંતિમ સંસ્કાર અખાડાના રિવાજ પ્રમાણે ચક્રતીર્થ પર કરેલ જેમાં અગ્નિ અખાડાના સભાપતિ મુકતાનંદજી મહારાજ સચિવ સંપૂર્ણાનંદજી મહારાજ, મહામંત્રી સોમેશ્વરાનંદજી, કોષાધ્યક્ષ પરમેશ્વરનાંદજી, થાનાપતિ ભાસ્કરાનંદજી વગેરે અખાડાના સંતો, મહંતોએ ઉજજૈન ખાતે પુષ્પાંજલિ અર્પણ કરેલ. મધ્ય પ્રદેશના સી. એમ. શિવરાજસિંહ ચૌહાણે મુકતાનંદજીબાપુને ટેલિફોનિક શોક વ્યકત કરેલ હતો.