સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 18th January 2020

માળીયામિંયાણાના નાગડાવાડ પાસે વાહને બાઇકને ઠોકર મારતા બુટાભાઇ ખીટનું મોત

રાજકોટ, તા. ૧૮ : માળીયા મિંયાણાના નાગડાવાડ ગામ પાસે વાહનના ચાલકે બાઇકને ઉલાળતા ભરવાડ પ્રૌઢનું મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ માળીયાના નવાગામમાં રહેતા બુટાભાઇ ડાયાભાઇ ખીટ (ઉ.વ.પર) ગઇકાલે પોતાનું મોટર સાયકલ લઇને જતા હતાં ત્યારે નાગડાવાડ પાસે કોઇ વાહનના ચાલકે બાઇકને ઠોકર મારતા ભરવાડ પ્રૌઢ ફંગોળાઇ જતા તેને શરીરે ઇજા થતા સારવાર માટે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટની સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે માળીયા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:45 am IST)