મોરબીમાં પાંચ દિવસ પહેલા ડૂબી ગયેલા નારૂ ડામોરની લાશ મળી
મોરબી, તા.૧૮: મોરબીના લખધીરપુર રોડ પર પાંચ દિવસ પૂર્વે કેનાલમાં ખાબકેલા હતભાગી યુવાનનો મૃતદેહ આખરે મળી આવ્યો છે તો લખધીરપુર રોડ પર કેનાલમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ મચ્છુ ૨ ડેમ પાસેથી મળ્યો છે જેને ફાયરની ટીમે બહાર કાઢયો છે.
મળતી વિગત મુજબ લખધીરપુર રોડ પરથી પસાર થતી મોરબી બ્રાંચ કેનાલમાં મજુરી અર્થે આવેલ પરપ્રાંતીય યુવાન નારૂભાઇ પાસુભાઈ ડામોર ગત તા ૧૩ ના રોજ સવારે સાત વાગ્યે ખાબકયો હતો અને બાદમાં પોલીસ તેમજ ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી જોકે કેનાલમાં પાણીના પ્રવાહને પગલે ફાયર ટીમે પાણી બંધ થયા બાદ સર્ચ અને રેસ્કયુ ઓપરેશન થઇ સકે તેત્મ હોવાનું જણાવતા પરપ્રાંતીય શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને કેનાલમાં ડૂબેલા યુવાનને રામભરોસે છોડી દેવામાં આવ્યો હતો તો આજે સવારથી મોરબી ફાયર ટીમના દીપકસિંહ જાડેજા માર્ગદર્શન હેઠળ વિનય ભટ્ટ , ભાવેશ રાઠોડ , વિજય ડાભી, રતિલાલ ચૌહાણ ,પેથાભાઈ ઠાકોર , સલીમભાઈ , પ્રીતેશ કેનાલના કાંઠે સર્ચ કરતી હોય ઙ્ગજેમાં નવાગામ નજીક મચ્છુ ૨ ડેમ પાસે મૃતદેહ તરતો દેખાયા બાદ ફાયર ટીમે મૃતદેહને બહાર કાઢ્યો હતો જોકે યુવાન ૧૦૦ કલાકથી વધુ સમય પાણીમાં રહ્યા બાદ આખરે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.