સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 17th November 2019

ટંકારાની મામલતદાર કચેરીમાં ઉભરાતા ટોયલેટની આખરે વિદ્યાર્થીઓ કરશે સફાઈ

છેલ્લા ૧૫ દિવસથી ગંદકી છતાં તંત્રના પેટનું પાણી ના હલ્યું

ટંકારા : સમગ્ર દેશમાં ગાંધીજીની જન્મજયંતીની ઉજવણી નિમિતે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યા છે અને દેશના વડાપ્રધાને પણ ઝાડું ઉઠાવીને સફાઈ કરી હતી આમ છતાં ટંકારાની મામલતદાર કચેરીને સ્વચ્છતા સાથે સ્નાનસુતકનો સંબંધ ના હોય તેમ લાગી રહ્યું છે અને કચેરીમાં ટોયલેટ ઉભરાઈ ગયા હોય જેની સફાઈ વિદ્યાર્થીઓ કરશે

ટંકારા વિધાથી એકતા સંગઠન ટીમ દ્વારા સોમવારે સવારે ૧૧ કલાકે મામલતદાર કચેરીએ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે મામલતદાર કચેરી ખાતે ટોયલેટ ૧૫ દિવસથી ઉભરાય છે અને બંધ હાલતમાં પડ્યા છે

જેથી ટોયલેટ હોવા છતાં તેનો કોઈ ઉપયોગ કરી શકતું નથી અને તંત્ર પાસે સફાઈ અભિયાન માટે કોઈ સમય ના હોય ત્યારે ટંકારા વિદ્યાર્થી એકતા સંગઠન ટીમ દ્વારા સોમવારે સવારે ૧૧ કલાકે મામલતદાર કચેરીએ એકત્ર થઈને બાથરૂમ ની સફાઈ કરશે

(11:48 pm IST)