મોરબીના રફાળેશ્વર નજીક થયેલ હત્યામાં વધુ એક આરોપી ઝડપાયો :કુલ ૧૨ આરોપીને ઝડપી લેવાયા
પાલિકાના પ.વ.ડી.કમિટીના ચેરમેનના ભાઈની હત્યા પ્રકરણ
મોરબીના રફાળેશ્વર ગામ નજીક પાલિકાના પ.વ.ડી.કમિટીના ચેરમેનના ભાઈની હત્યા પ્રકરણમાં તાલુકા પોલીસે વધુ એક આરોપીને ઝડપી લેતા અત્યાર સુધીમાં હત્યા પ્રકરણમાં કુલ ૧૨ આરોપીને ઝડપી લેવાયા છે
મોરબીના રફાળેશ્વર ગામ નજીક હાઇવે પર નોનવેજના ધંધાર્થીઓ વચ્ચે નોનવેજનો થડો પડાવી લેવા મુદ્દે ઝઘડો થયા બાદ બઘડાટી પ્રકરણમાં સૈયદુભાઈ જેડા નામના યુવાનની હત્યા થઇ હતી જે બનાવ મામલે પોલીસે અગાઉ ૧૧ આરોપીને ઝડપી લીધા બાદ અન્ય આરોપીના નામો ખુલ્યા હતા
જેને ઝડપી લેવાની કવાયતમાં ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં આરોપી કાદર મામદ માણેકને જામનગર બેડી વિસ્તારમાં એકડા પીરની દરગાહ નજીક હોવાની બાતમીના આધારે મોરબી એસ.ઓ.જી ટીમે સ્થળ પર પહોચીને આરોપી કાદરને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી એસ.ઓ.જી. પી.આઈ. જે.અમ.આલની ટીમના ફારુકભાઈ પટેલ, નરેન્દ્રસિંહ રધુવીરસિહ અને અનિલભાઈ ભટ્ટ સહીતનાઓ કામગીરીમાં રોકાયેલ હતા