મોરબીમાં ઘરમાં ઘુસી વૃધ્ધાને છરીની અણીએ લુંટી લેનાર ૩ શખ્સોની શોધ
મોરબી તા. ૧૬: શહેરમાં ઘરમાંં ઘુસી એકલી વૃધ્ધાને છરી બતાવી ઘરમાંથી રોકડ અને દાગીનાની લુંટ ચલાવનાર ૩ શખ્સોની શોધખોળ હાથ ધરાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબીની અનુપમ સોસાયટીના રહેવાસી ઇન્દીરાબેન મનહરલાલ પંચાલ (ઉ.વ.૭૭) નામના વૃધ્ધાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે રાત્રીના ૦૩:૪૫ થી ૪ દરમિયાન ત્રણ બુકાનીધારી શખ્શો બારીનો કાચ તોડી તેના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મહિલા જાગી જતા તેને છરી બતાવી બુકાનીધારી શખ્શોએ ઘરમાંથી સોનાનો ચેન ૨ તોલા, સોનાની માળા ૨ તોલાની, તેમજ સોનાની વીંટી સહિતના દાગીના અને રોકડ રકમ રૂ ૧૨,૦૦૦ સહીત કુલ રૂ ૯૬,૦૦૦ ની મત્તાની લૂંટ ચલાવી આરોપી રાત્રીના અંધકારમાં નાસી ગયા હતા રાત્રીના સુમારે ત્રણ શખ્શોએ છરીની અણીએ દિલધડક લૂંટના બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે અને હાલ બી ડીવીઝન પોલીસે લૂંટના ગુન્હા અંગે વૃધ્ધાની ફરિયાદ નોંધી ત્રણેય બુકાનીધારીઓની શોધખોળ હાથ ધરી છે.