સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th November 2018

પોરબંદર અને ઓખાની ર બોટ સાથે ૧૨ માછીમારોના અપહરણ

ફિશીંગ સીઝનના પ્રારંભ અગાઉ ૮ બોટ અને ૫૬ માછીમારોના અપહરણ બાદ ફરી જળસીમાએ પાકિસ્તાન મરીન ત્રાટકયું: અન્ય માછીમારોમાં ફફડાટ

 પોરબંદર તા. ૧૭: જખોૈ જળસીમાએ પાકિસ્તાન મરીને વધુ ર ભારતીય બોટ સાથે ૧૨ માછીમારોના અપહરણ કરી જતાં અન્ય માછીમારોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.

અપહરણ કરાયેલ ૨ ફિશીંગ બોટો પોરબંદર અને ઓખાની છે ફિશીંગ સીઝનના પ્રારંભે અગાઉ પાક મરીને ૮ બોટ સાથે ૫૬ માછીમારોના અપહરણ કરી ગયેલ. પાકિસ્તાન મરીન અવા-નવાર ભારતીય જળસીમાની અંદર પ્રવેશ કરીને ભારતીય માછીમારોના બોટ સાથે અપહરણ કરી જાય છે. અપહરણ કરાયેલ માછીમારોની સજા પુરી થતા સમયાંતરે છોડી દેવાય છે. પરંતુ સ્વરોજગારીના સાધન એવા કિંમતી બોટ પાકિસ્તાન પરત આપતી ન હોય બોટ માલીકોને મોટી નુકસાની સહન કરાવી પડે છે.

(3:44 pm IST)