News of Saturday, 17th October 2020
પડધરીના સરપદડમાં ગોવિંદભાઇ માવીનો ઝેરી દવા પી આપઘાત
રાજકોટ તા. ૧૭: પડધરીના સરપડદડમાં રહેતાં મુળ ગોધરા નજીકના ભાંભરા પંથકના ગોવિંદભાઇ છગનભાઇ માવી (ઉ.વ.૪૦) નામના આદિવાસી યુવાને અગમ્ય કારણોસર ઝેર પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ આજે વહેલી સવારે દમ તોડી દેતાં મજૂર પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે પડધરી પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર ગોવિંદભાઇને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. તે રમેશભાઇ બોડાની વાડીએ રહી મજૂરી કરતો હતો. ઉલ્ટીઓ કરવા માંડતા તેણે દવા પી લીધાની પરિવારજનોને જાણ થઇ હતી. કારણ જાણવા પડધરી પોલીસે તપાસ યથાવત રાખી છે.
(11:57 am IST)