સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th October 2019

પાણશીણા ગામના ખાખી મંદિરના મહંત સિતારામબાપુ દેવલોક પામ્યા : પાલખીયાત્રા નિકળી

વઢવાણ તા ૧૭  : લીંમડી તાલુકાના પાણશીણા ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ ખાખી મંદિર મહંત સિતારામ બાપુનું ૭૦ વર્ષની જયેફવયે નિધન થતાં દેવલોક પામતા જેઓની પાલખી યાત્રા કાઢવામાં આવેલ હતી.

છેલ્લા ૪૦ વર્ષથી લક્ષ્મી નારાયણ ખાખી મંદિર સીતારામ બાપુ સેવા આપતા હતા, જેના કારણે નાના મોટા સોૈના હ્રદયમાં સીતારામ બાપુનું આગવું સ્થાન હતું. તેમના પાર્થિવ દેહને દર્શન માટે મંદિરના પટાંગણમાં રાખવામાં આવ્યો હતો અને આજુબાજુના ગામના લોકો પણ દર્શનાર્થે ઉમટી પડયા હતા.

ત્યારે સિતારામ બાપુની પાલખી યાત્રા બાદ બાપુનો દેહ પંચ મહાભુતમાં વલીનીકરણ થયો હતો. ગામમાં ભારે શોકનો માહોલ છવાઇ જવા પામેલ હતો.

(1:09 pm IST)