મોરબીમાં પીએમ મોદીના જન્મદિવસ પ્રસંગે વૈદિક યજ્ઞ યોજી દીર્ઘાયુ માટે પ્રાર્થના કરાઈ.
સર્વે યોગ કોચ, યોગ ટ્રેનર્સ, યોગ ટીચર્સ અને યોગ સાધકોએ ૭૧ મંત્રોચ્ચારની આહુતિ સાથે શુભકામના કરાઈ
મોરબી : વડાપ્રધાન નરન્દ્રભાઈ મોદીના ૭૧ માં જન્મદિવસ નિમિતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલિ યોગ સમિતિ તથા વૈદિક યજ્ઞ સમિતિ ના સંયુક્ત ઉપક્રમે મોરબીમાં લીલાપર કેનાલ રોડ ઉપરના રામકો બંગલોઝમાં આવેલ વૈદિક યજ્ઞ શાળામાં વડાપ્રધાન મોદીને દીર્ઘાયુ પ્રાપ્ત થાય અને તંદુરસ્તી અણનમ રહે તે માટે યજ્ઞ કરીને પ્રાર્થના કરવામાં આવી હતી
મોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડનાં યોગ કોચ, રૂપલબેન શાહ, વાલજીભાઈ ડાભી, પિયુષભાઈ વાઘેલા, પતંજલિ યોગ સમિતિ જિલ્લા પ્રભારી રણછોડભાઈ જીવાણી, યોગગુરૂ નરશીભાઈ અંદરપા, મહિલા પ્રભારી ભારતીબેન રંગપરીયા, યુવા પ્રભારી સંજયભાઈ રાજપરા, તથા સર્વે યોગ કોચ, યોગ ટ્રેનર્સ, યોગ ટીચર્સ અને યોગ સાધકોએ ૭૧ મંત્રોચ્ચારની આહુતિ સાથે શુભકામના કરવામાં આવી. આ તકે વલસાડ પતંજલિ યોગ સમિતિના જિલ્લા ઉપપ્રભારી, રણજીતભાઈ રાઠોડ, ખાસ ઉપસ્થિત રહ્યા હતા