ધોરાજીમાં ગણેશોત્સવ ધોરાજી
નિપુલ સોલંકીના નિવાસ સ્થાને અલગ જ થીમ પર ગણપતિને બીરાજમાન કરાય છે. રાત્રે દરરોજ અલગ અલગ પ્રકારના કાર્યક્રમ કરવામાં આવતા હતા અને ગણપતિની અલગ જ થીમ જોવા આજુબાજુના લોકો મિત્રો મહિલા મંડળ સહિતના લોકોએ દર્શનનો લાભ લીધેલ હતો અને ગણપતિદાદાને આસ્થાભેર વિદાય આપવામાં આવી હતી. આ તકે રાખીબેન, ભાવનાબેન, આરતીબેન, રીમ્પલબેન, ઈશાબેન, નીરૂપાબેન, બીનાબેન, મીતલબેન, જીતલબેન, નીલ્પાબેન, કાજલબેન, પીનલબેન સહિતના લોકોએ આયોજન કરેલ હતું. ગણેશોત્સવ વિસર્જન યાત્રાની તસ્વીર.
ધોરાજી રાયાનો ચોક ખાતે ગણેશજીની ૧૦૮ ની દિપમાળાની આરતી યોજાય હતી અને ભાવિકોએ દર્શનો લાભ લીધો હતો અને તમામ લોકો પૂજા - અર્ચના અને આરતીમાં જોડાયા હતાં. આ તકે મયુર જેઠવા, પીયુશ વાળા, પંકજભાઇ સેલડીયા, સોનલબેન જેઠવા, પુર્વીબેન પંડીયા સહિતનાઓએ સમગ્ર વિશ્વમાં શાંતી સ્થાય તે માટે ખાસ પૂજા અર્ચના કરેલ તે તસ્વીર.