ટંકારામાં પાસે ખનીજ ચોરી કરતા ૪ ટ્રંક પકડાયાઃ આરઆરસેલનો દરોડો
ટ્રક ચાલક, ચોથા ઝાપડા, ફીરોઝ હીંગોરીયા, કમલસીંગ સીસોદીયા, અને દીલીપ બાબરીયાની ધરપકડ
રાજકોટ, તા.૧૭: મોરબી જિલ્લામાં બેફામ થઇ રહેલી ખનીજ ચોરી થતી હોવાની બાતમીન આધારે આરઆરસેલે ટંકારા નજીકથી પરવાના વિના ખનીજ પરિવહન કરતી ચાર ટ્રકો આર આર સેલની ટીમે ઝડપી લીધા છે.
મળતી વિગત મુજબ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિ નાબુદ કરવામ માટે સંદીપસિંહ નાયબ પોલીસ મદ્દા નિરીક્ષક આર.આર. સેલના એમ. પી. વાળાએ સુચના કરેલ જે અન્વયે આર આર સેલના સ્ટાફે ટંકારા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પરવાના વગરની ખાણ ખનીજ (રેતી) ભરેલ ટ્રકો મળી આવતા ટ્રકો મળી આવતા ટ્રક ચાલક ચોથાભાઇ થોભણભાઇ ઝાપડા, (રે. ગાંધીગ્રામ રાજકોટ), ફીરોઝ યુસુફભાઇ હીંગોરીયા(રે. મોવૈયાધાર પડધરી) કમલસીંગ મગસીંગ સીસોદીયા(રે. બજરંગવાડી રાજકોટ)તથા દીલીપ જેન્તીભાઇ બાબરીયા(રે.વેજાગામ રાજકોટ)કુલ ચાર ટ્રકોમાં ભરેલ ખાણ ખનીજ(રેતી) ટન-૧૦૦થી વધુ સહિતનો લાખોનો મુદ્દામાલ જપ્ત કરી મુદ્દામાલ ટંકારા પોલીસને સોંપવામાં આવ્યો છે.