સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th September 2018

જામજોધપુરમાં નરેન્દ્રભાઇના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા નિદાન કેમ્પ

જામજોધપુર : ભારતીય જનતા પાર્ટી દ્વારા વિના મુલ્યે રોગ આયુર્વેદ ચિકિત્સા કેમ્પ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે પ્રજાપતિ સમાજની વાડી મુકામે રાખવામાં આવ્યો હતો આ કેમ્પનું દીપ પ્રાગટય પૂર્વ મંત્રી ચીમનભાઇ સાપરીયા, તાલુકા પંચાયત પ્રમુખ ધાનાભાઇ બેરા, માર્કેટીંગ યાર્ડનાં પુર્વ પ્રમુખ સી.એમ. વાછાણી, જીલ્લા ભાજપ મહામંત્રી ચેતનભાઇ કડીવાર, નગરપાલિકા પ્રમુખ સોનલબેન જવીયા તેમજ અગ્રણીઓની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યુ હતું. આ કેમ્પમાં બાળરોગ, આંખ, કાન, ગળા, દાંત, ડાયાબીટીસ તેમજ સ્ત્રી રોગ જેવા દર્દોનો નિદાન કરવામાં આવ્યુ હતું આ કેમ્પમાં તમામ પ્રકારની અયુર્વેદિક દવા વિનામુલ્યે આપવામાં આવેલ હતી આ કેમ્પનો લાભ જામજોધપુર શહેર તેમજ આજુ બાજુ ગામનાં લોકોએ લીધો હતો. જામજોધપુર મુકામે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિના મુલ્યે સર્વરોગ આયુર્વેદ ચિકિત્સા કેમ્પ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે પ્રજાપતિ સમાજની વાડી મુકામે રાખવામાં આવ્યો હતો. (તસ્વીર - અહેવાલ - મહેશ મકવાણા -જામજોધપુર) (પ-૯)

(12:11 pm IST)