News of Tuesday, 17th July 2018
મહુવાના વાઘનગરમાં 12 જેટલા પશુના મોત:પાંચ મકાનો ધરાશાયી:
ભાવનગરના મહુવાના વાઘનગરમાં 12 જેટલા પશુના મોત થયા હતા. સતત વરસી રહેલા વરસાદને કારણે પાંચ મકાનો ધરાશાયી થયા છે સમગ્ર ભાવનગરને મેઘરાજાએ બાનમા લીધું હોય તેમ અવિરત મેઘના મંડાણ થયા છે. જયાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઇ રહ્યું છે. ક્યાક ડેમ ઓવરફ્લો થયા છે તો ક્યાંક રસ્તાઓ તૂટી જવાની ઘટના પણ બની છે.
(9:09 am IST)