સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th June 2021

મોરબીમાં સ્વ. ધવલ રાંકજાની સ્મૃતિમાં લાયન્સ ક્લબ નઝરબાગ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

કેમ્પના અંતે ૧૦૦ થી વધુ રક્તની બોતલ એકત્ર કરાયું

મોરબી લાયન્સ ક્લબ ઓફ નઝરબાગ અને એચડીએફસી બેંક દ્વારા લાયન્સ ક્લબ ઓફ નઝરબાગના સભ્ય સ્વ.ધવલભાઈ રાંકજાની સ્મૃતિમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીના શનાળા રોડ પરના સંસ્કાર બ્લડ બેંક ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કરી કેમ્પને સફળ બનાવ્યો હતો કેમ્પના અંતે ૧૦૦ થી વધુ રક્તની બોતલ એકત્ર કરવામાં આવી હતી રક્તદાન કરનાર તમામ રકતદાતાઓ તેમજ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવનાર સંસ્થાના દરેક આગેવાનો અને કાર્યકરોનો સંસ્થા પ્રમુખ કુતુબભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો

(9:55 pm IST)