News of Monday, 17th June 2019
મોરબી જીલ્લા કલેકટર માકડીયાની પળભરનો વિલંબ કર્યા વગરની કામગીરી
જામનગર તા. ૧૭ :.. હળવદ તાલુકાનાં ચરાડવા શ્રી મહાકાળી આશ્રમમાં આવેલા સુકા ઘાસચારાના ગોડાઉનમાં ભયંકર આગ ફાટી નીકળ્યા બાદ દોડધામ મચી ગઇ હતી અને મોરબી જીલ્લા કલેકટર શ્રી આર. જે. માકડીયાને આ આગના બનાવ અંગે જાણ કરવામાં આવી હતી.
ત્યારબાદ શ્રી આર. જે. માકડીયાએ પળભરનો પણ વિલંબ કર્યા વગર મામલતદાર શ્રી સોલંકી સહિત લાગતા-વળગતા તંત્રને જાણ કરી હતી.
કલેકટરશ્રી આર. જે. માકડીયાની સુચનાથી તંત્ર દોડતુ થઇ ગયુ હતુ અને આગને વહેલી તકે કાબુમાં લાવી દીધી હતી.
(2:25 pm IST)