જેતપુરના તમામ ડોકટરો રેડીયોલોજીસ્ટ, લેબોરેટરીમાં તમામ સેવાઓ બંધ રાખી આવેદન પત્ર
જેતપુર તા ૧૭ : કલકતામાંએક ડોકટરે સારવાર આપેલ દર્દીનું સારવાર દરમ્યાન ગંભીર બીમારીના કારણે મોત થયેલ પરંતુ તેના પરીવારજનોએ ડોકટરની બેદરકારી ગણાવી તેના ઉપર હુમલો કરી ધમાલ કરી દીધેલ. ખરેખર આ બનાવમાં ડોકટરનો કોઇ વાંક ન હોય છતાં લોકોએ તેમના ઉપર હુમલો કરી માર મારી જેના પ્રત્યાઘાતો પડતા ડોકટરોની સંસ્થા I.M.A. (ઇન્ડીયન મેડીકલ એસોસીએશન) દ્વારા આજરોજ તમામમેડીકલ સેવા દર્દીઓને બંધ રાખી વિરોધ નોંધાવવાનું નક્કી કરાતા આજરોજ શહેરની તમામ હોસ્પીટલો, લેબોરેટરી, રેડીયોલોજીસ્ટ સેવાઓ, ઓ.પી.ડી. વિભાગ પણ બંધ રાખી વિરોધ નોંધાવતા, ડોકટરોઉપર આવા હુમલા ન થાય અને તેનો કડક કાયદો બને તેવી માંગ સાથે શહેરના તમામ ડોકટરોએ એકત્રીત થઇ પ્રમુખ ડો. એ.એન. સખીયાની આગેવાની હેઠળ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું.