સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 17th May 2019

વડીયા સ્વામીનારાયણ દિવ્યધામમાં ૧૫મો પાટોત્સવ ઉજવાયો

વડીયા : શ્રી સ્વામિનારાયણ દિવ્યધામ વડીયામાં શ્રી ઘનશ્યામ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા ૨૦૦૪માં વડતાલ પીઠાધિપતિ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે કરવામાં આવી હતી. ૧૫ વર્ષથી સર્વે હરિભકતોની મનોકામના પુર્ણ કરતા ઘનશ્યામ મહારાજનો ૧૫મો વાર્ષિક પાટોત્સવ પ.પુ.સ્વામી શ્રી રામકૃષ્ણદાસજીની પ્રેરણાથી ઉજવવામાં આવ્યો હતો. ડો.અમૃતલાલ લક્ષ્મીદાસભાઇ ટીલવા, તાલાળાના યજમાનપદે ઉજવાયેલા પાટોત્સવમાં જલયાત્રા અભિષેક, અન્નકોટ, સર્વરોગ નિદાન કેમ્પ સત્સંગ સભા વગેરે અનેક આયોજન થયેલા. કો.સ્વા.હરિચરણદાસજી, શા.સ્વા.હરિસ્વરૂપદાસજી, સ્વા.હરિકૃષ્ણદાસજી, શા.સ્વા.રાધારમણદાસજી, કોઠારીશ્રી રાજકોટ સ્વા. વિવેકસાગરદાસજી, કોઠારીશ્રી બાલાજી રાજકોટ, સ્વા.દેવકૃષ્ણદાસજી, સ્વા.પ્રેમસ્વરૂપદાસજી વગેરે સંતોએ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા. શા.સ્વા.આનંદસ્વરૂપદાસજીએ સભા સંચાલન કર્યુ હતુ. ડો.ધર્મીત એન.બાલઘા, જનમંગલ હોસ્પિટલ, જેતપુરની ટીમ દ્વારા સર્વરોગ નિદાન અને જરૂરિયાત મુજબની દવાઓ અપાઇ હતી. ૯૬ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આશરે બે હજાર હરિભકતોએ આ મહા પાટોત્સવનો લાભ લીધો હતો એમ કો.સ્વા.બાલસ્વરૂપદાસજીએ જણાવ્યુ છે. પાટોત્સવની તસ્વીરો.

(11:41 am IST)