સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th May 2018

પુત્રએ પિતાને છરીના ઘા માર્યા

પોરબંદર તા ૧૭ :.  છાંયા રામદેવનગરમાં રહેતા મનસુખભાઇ હીરજીભાઇ (ઉ.વ.૪૫) એ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ કે તેનો પુત્ર હિતેશે પોતાને છરીના ઘા ઝીંકીને ગંભીર ઇજા કરતા હોસ્પિટલમાં દાખલ થવુૅ પડયું છે. પુત્ર હિતેશના મા-બાપ અને હિતેશની પત્નીએ અગાઉ સાથે મળીને મકાન વેંચી નાખ્યું હોય તેના મનદુઃખથી પિતા સાથે બોલાચાલીમાં પુત્ર હિતેશે છરીના ઘા ઝીંકયા હતા. કમલાબાગ પોલીસ સ્ટેશનની પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:20 pm IST)