માળિયાહાટીનામાં રવિવારે છપ્પનભોગ બડા મનોરથ
મોટી હેલીમાં સૌપ્રથમ વખત ધર્મોત્સવ, વૈષ્ણવોમાં અનેરો ઉત્સાહ
ધર્મોત્સવ પૂર્વે તાત્કાલિક ધોરણે તૈયાર કરાયેલો મુખ્ય પ્રવેશ દ્વારા તસ્વીરમાં દર્શાય છે.
માળીયા હાટીના,તા.૧૭: અહીંયા મોટી હવેલીમાં સૌ પ્રથમ વખત જ રવિવારે છપ્પનભોગ બડા મનોરથ યોજાઈ રહયો હોવાથી વૈષ્ણવોમાં અનેરો ઉત્સાહ- ઉમંગ પ્રસરી રહ્યો છે. ધર્મલાભ લેવા સૌ અધીરા બન્યા છે.
માળીયા હાટીનામા મોટી હવેલીમાં ગાદીપતિ પૂ.શ્રી નવનીત લાલજી મહારાજ તથા અંજનરાઈજી મહારાજના માર્ગદર્શન મુજબ પ્રથમ જ વખત છપ્પનભોગ બડા મનોરથનું આયોજન તા.૨૦મીએ ધામેધુમે થવાનું છે.
છેલ્લા ૧૨ થી ૧૫ દિવસથી વૈષ્ણવ ભાઈઓ- બહેનો તડામાર તૈયારીઓ કરે છે. સમગ્ર શહેરના રાજ માર્ગોને ધજા પતાકાથી શણગારી દેવાયા છે.
કહેવાય છે કે મોટી હવેલી ખાતે એક મોટો ગેઈટ (પ્રવેશ દ્વાર) બનાવેલ છે. આ પ્રવેશ દ્વાર માત્ર એક જ રાતમાં નવેસરથી જ ઊભો કરી દેવાયો. હવેલીનો જુનો પ્રવેશ દ્વાર સાવ નાનો હતો એટલે મેઈન રોડ ઉપર દુકાન તોળીને ત્રણ ટ્રેકટર બેલા ખડકીને માત્ર ૧૦ કલાકમાં જ પ્રવેશ દ્વાર બનાવી દેવાયો છે.