સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th May 2018

નાનાકુંડળનાં માનશીંગભાઇનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો

મૃતકનાં કાકાએ ઇલેકટ્રીક શોક લાગવાથી ભત્રીજાનું મોત થયાનું જાહેર કર્યુ

રસાનાળમા, તા.૧૭: અમરેલાના બાબરા તાલુકામાં નાનીકુંડળ ગામનાં દેવીપુજક માનશીંગભાઇ ઘનજીભાઇ વણોલીયા(ઉ.વ.૪૦)નો મૃતદેહ ગઇરાત્રે સીતાપર અને લીંબડીયા ગામ પાસે કઠાળિયાનાં જંગલમાંથી કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો.

આ અંગે મૃતક માનશીંગભાઇનાં કાકા મશરૂભાઇ ચતુરભાઇએ પોલીસમાં જાહેર કર્યા મુજબ ઇલેકટ્રીક શોક લાગવાથી માનશીંગભાઇનું મોત થયું હતું બનાવન જાણ  થતાં ગઢડા(સ્વામીના)નાં ઢસા ગામનાં પોલીસ ઇન્સ્પેકટર સહીતનાં સ્ટાફે ઘટનાં સ્થળે પહોચી મૃતદેહને ગઢડા રેફરલ હોસ્પીટલે પોસ્મોર્ટમ અથે મોકલી આપ્યો હતો.

(11:52 am IST)