સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th May 2018

ઉના પંથકમાં ગોૈચર જમીન ઉપર ગેરકાયદે ખનીજ ખોદકામ સામે ગ્રામજનોની રજુઆત

ઉના તા.૧૭: તાલુકાના એલમપુર પંથકમાં ગોૈચર તથા સરકારી ખરાબાની જમીનમાંથી ગેરકાયદેસર રીતે ખાણ ખનનની ગેરપ્રવૃતિ રોકવા માટે ગ્રામજનો એ નાયબ કલેકટરને આવેદન આપેલ છે.

રજુઆતમાં જણાવેલ કે, માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે ચકરડીઓ મુકીને ગોૈચર તથા સરકારી ખરાબાની જમીનમાં પથ્થરો કાઢી લાખો રૂપિયાની ખનીજ ચોરી કરેલ છે. જે જગ્યા એ ખાણ  ખનન થાય છે તે અતિ પોૈરાણિક જગ્યા છે. ગેરપ્રવૃતિ તાકીદે બંધ  કરાવવામાં નહી આવે તો સમસ્ત એલમપુરના ગ્રામજનો સામુહિક રીતે પ્રાંત કચેરી ઉના ખાતે ઉપવાસ આંદોલન કરશે તવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

(11:49 am IST)