સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th May 2018

ભુજના પધ્ધર નજીક જીપ પલ્ટી ખાઈ જતા બે લોકોના મોત:આઠને ઇજા

 

ભુજના પધ્ધર નજીક અકસ્માત સર્જાતા 2 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. જ્યારે 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  મળતી વિગત મુજબ ચોટીલાથી દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો  જીપ ચાલકે સ્ટિંયરિંગ પરનો કાબૂ ગુમાવતા જીપ પલટી ગઈ હતી. જેથી જીપમાં સવાર 10 લોકોમાંથી 2 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા.જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી ઈજાગ્રસ્ત તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સમગ્ર મામલે પોલીસે 2 વ્યક્તિના મૃતદેહોને પીએમ માટે ખસેડ્યા છે. જ્યારે અકસ્માત અંગે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:04 pm IST)