સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 17th April 2021

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના રાજપર ગામે ઇલેક્ટ્રિક શોક લાગતા એસઆરપી મેનનુ મૃત્યુ

(મુકુંદ બદીયાણી દ્વારા)જામનગર:: જિલ્લાના ધ્રોલ તાલુકાના રાજપર ગામે ઇલેક્ટ્રિક શોક લાગતા એસ આર પી મેન નુ મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત અનુસાર ધ્રોલ તાલુકા રાજપર ગામના સીધાભાઈ કરશનભાઈ ટોરીયા( ઉ.૩૮)ને તેમના ધરે ઇલેક્ટ્રિક પંખા માથી શોક લાગતા મૃત્યુ થયુ છે

ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા બાદ પીએમ કરી આગળ તપાસ ધ્રોલ પોલીસે હાથ ધરી છે.

(1:03 pm IST)