News of Saturday, 17th April 2021
રાજુલામાં ૩ અઠવાડિયા માટે દર શનિ-રવિ સ્વૈચ્છીક લોકડાઉન
રાજુલા,તા. ૧૭: રાજુલા શહેરમાં કોરોનાની ચાલી રહેલી હાડમારીના પગલે વેપારીઓ તમામ રાજકીય આગેવાનોની મિટિંગ મળી હતી જેમાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ બકુલભાઈ વોરાએ જણાવ્યું હતું કે રાજુલા શહેરમાં વધી રહેલા કોરોનાની હાડમારી તેની સાંકળ તોડવા માટે ત્રણ અઠવાડિયા માટે રાજુલા શહેરમાં શનિ રવિ સંપૂર્ણ લોકડાઉન રહેશે જેમાં પેટ્રોલ પમ્પ દૂધ શાકભાજી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ મળશે તેવું વેપારીઓ દ્વારા નક્કી કરાયું હતું.
આ તકે પાલિકા ઉપપ્રમુખ પિન્ટુભાઈ ઠક્કર રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરા ,મયુરભાઈ દવે,રવુંભાઈ ખુમાણ જયંતિભાઈ જાની સહિતના આગેવાનો વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(12:55 pm IST)