શિક્ષીકા રીનાબેનની બનેવી જયદિપ ગોંડલીયા વિરૂધ્ધ વળતી ફરિયાદ
માંડાડુંગર પાસે શ્યામ કિરણ સોસાયટીની મારામારીની ઘટનામાં : મારી ઘરવાળીને અહિ કેમ રાખો છો? કહી ડખ્ખો કર્યો
રાજકોટ તા. ૧૭: ચોટીલાના ચોબારી ગામે રહેતાં જયદિપ યોગેશભાઇ ગોંડલીયા પર માંડા ડુંગર પાસે શ્યામ કિરણ સોસાયટીમાં તેના સાઢુ, પાટલાસાસુ, સાળા સહિતે હુમલો કરી ફ્રેકચર કરી નાંખ્યાના બનાવમાં જયદિપ સામે તેના પાટલાસાસુ શિક્ષીકા રીનાબેન વિલાસભાઇ પાટીલ (ઉ.વ.૩૬)એ વળતી ફરિયાદ નોંધાવી છે.
રીનાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું રાજસમઢીયાળા પ્રાથમિક શાળામાં શિક્ષીકા તરીકે નોકરી કરુ છુ અને મારા પતિ વિલાસ પાટીલ લોધીડા ગામની શાળામાં શિક્ષક છે. ૧૫મીએ બપોરે હું ઘરે હતી ત્યારે નાની બહેન કાશ્મીરાના પતિ જયદિપે આવી અમારા ઘર બહાર પડેલી ફોરવ્હીલ ગાડીમાં લાકડાનો ધોકો ફટકારી જોર જોરથી દેકારો કરી 'મારી પત્નિ કાશ્મીરાને તમે કેમ તમારી સાથે રાખો છો?' કહી ઝપાઝપી કરી ધોકાથી મને માર મારતાં માથામાં ઇજા થઇ હતી. એ પછી મારા બનેવી જયદિપભાઇએ મને પકડી લીધી હતી. એ વખતે મારો ભાઇ તરૂણ અને મામાનો દિકરો ભાવીન પણ આવી જતાં મને વધુ મારથી છોડાવી હતી. બનેવી જયદિપે મથે પગે ધોકા ફટકાી ઇજા કરી હતી અને મારી નાંખવાની ધમકી પણ આપી હતી. હેડકોન્સ. સવજીભાઇ બાલાસરાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.